મર્મ જ્યાં મળે છે, ત્યાં જ તો સાર પકડાય છે;
વૈરાગ્યમાં જ્યાં જીવીએ છીએ, ત્યાં જ તો મારો અનુભવ થાય છે;
ઇચ્છા જ્યાં સોંપીએ છીએ, ત્યાં પ્રભુની ઇચ્છા જન્મે છે;
આરંભ જ્યાં કરીએ છીએ, ત્યાં પ્રભુનું ચેન મળે છે;
વિશ્વાસ જ્યાં કરીએ છીએ, ત્યાં અનુભૂતિ એની મળે છે;
અહંને જ્યાં ત્યજીએ છીએ, ત્યાં સ્વીકાર બધું થાય છે;
મુલાયમ જ્યાં બનીએ છીએ, ત્યાં પોતાને સાચવવાની વાતો કરીએ છે;
દ્વેષ જ્યાં બધા મટે છે, ત્યાં જ તો સાચા ઉપદેશ મળે છે.
- ડો. હીરા