ક્યાં કોઈ સાથે બંધન બાંધિયા, ક્યાં કોઈને મેં અપનાવ્યા;
સાચી રાહ પર તો અમે ચાલિયા, સચ્ચાઈના દર્શન કરાવ્યા;
ન કોઈને કાંઈ કહી શકીએ, ન કોઈને કાંઈ બતાડી શકીએ, અમે છીએ નાના;
સર્મથ વાતો અમે કોને કહીએ, જ્યાં સત્ય છે અમારામાં;
જીવનની રાહે મળશે એવાજ માનવી, જેને ન કાંઈ છે લેવા-દેવા;
પોતાના બનીને રહેશે એવા, પછી કહેશે અમે ના તમને આવકાર્યા;
જ્યાં પથ આવો ત્યાં રાહ તો સમજાતી નથી, બોલવાનું શું, બોલાતું નથી;
વ્યવહારમાં અમે તો રહ્યા કાચા, મીઠી છૂરી ચલાવતા ન અમને આવડી;
જ્યાં અમને છે અમારા પ્રભુ વહાલા, પછી શાને કરીએ બીજા માટે કાર્યો એવા;
જેને આવવું હશે તે જરૂર આવશે, શાને કરીએ દીલના સંબંધ આવા.
- ડો. હીરા