નિઃસ્વાર્થ ભાવોથી જે આવે છે,
નિશ્ચલ પ્રેમથી જે પુકારે છે,
એને હું સ્વીકારું છું, એને હું સવારું છું
આધ્યાત્મને જે સમજે છે, વિશ્વાસને પુકારે છે,
એને હું માર્ગ બતાડું છું, એને હું પુકારું છું.
હૈયામાં જે સરળ રહે, વ્યવહારમાં સાચો રહે,
એને હું ચલાવું છું, એને હું વખાણું છું.
પ્રેમથી જે જીવે, કઠોરતા ને જે ત્યજે,
એને હું રમાડું છું, એને હું બધું આપું છું.
આરાધના જે ન ચૂકે, મનમાં ના છલ વસે,
એને હું જ્ઞાન આપું છું, એને મારામાં પ્રેમ આપું છું.
અંતરમાં જે રહે, શાંતિમાં પલે
એને મારા દર્શન આપું છું, એને મારામાં સમાવું છું.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.