જીવનમાં આનંદિત રહેવું હશે, તો મને પામવું પડશે;
જીવનમાં જો ખુશ રહેવું હશે, તો મન સુંદર રાખવું પડશે;
જીવનમાં જો શાંતિ રાખવી હશે, તો બધાને સમજવું પડશે;
જીવનમાં જો શાંતી જોઈતી હશે, તો ખુદ પર કાબૂ રાખવો પડશે;
જીવનમાં જો પ્રેમ જોઈતો હશે, તો મારા જેવું બનવું પડશે;
જીવનમાં જો આઝાદી જોઈતી હશે, તો ખુદની મોકળાશ છોડવી પડશે;
જીવનમાં જો મિત્ર જોઈતા હશે, તો પોતાના વચનો પાળવા પડશે;
જીવનમાં જો જીવવું હશે, તો મનને તમારે જીતવું પડશે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.