ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી
પ્રેમ મળે છે, પ્રેમ રમે છે, તોય વ્યવહારમાં કોઈ ફરક નથી
આ કેવી દશા છે માનવીની, કે બધું મળ્યા છતાં કાંઈ ફરક નથી
જ્યાં સુધી અંતરમાં નહીં ઉતરે, ત્યાં સુધી કોઈ ફરક નથી
જ્યાં સુધી બુદ્ધિ બોલે છે, ત્યાં સુધી કાંઈ ફરક નથી
આખા ખેલ તો બુદ્ધિના જ છે, બુદ્ધિ જ તો બાંધે છે
બુદ્ધિમાં જયાં સુધી નહીં બેસે, ત્યાં સુધી કાંઈ સમજાતું નથી
પણ બુદ્ધિના ખેલ તો ગજબના છે, બુદ્ધિ તો ના ક્યારેય સ્થિર છે
મનના વિચારોના ઘોડ઼ા પર એ ચાલે છે, એની સ્થિરતા તો મન પર છે
મનની ચંચલતા તો ગમા-અણગમા પર છે, એના નાચ તો અસંખ્ય છે
ગમા-અણગમાને તો અંહકાર પોષે છે, અંહકારના લીધે તો કાંઈ સમજણમાં આવતું નથી
- ડો. હીરા