સત્ય હમેશાં કડવું લાગે છે
પોતાને સાચી રીતે ઓળખતા, ખરાબ લાગે છે
મીઠા શબ્દોનો આવકાર મીઠો લાગે છે
પોતાની પ્રશંસા સાંભળવી સારી લાગે છે
જીવનમાં મધુ-કૈટબ અસુરોની કમી નથી
એટલે તો ધુમ્રલોચનની જેમ ક્રોધિત થઈએ છીએ
અને મહિસાસુરની જેમ અંહકારી બનીએ છીએ
ઈચ્છાઓનું રક્તબીજ સદા સાથે રાખીએ છીએ
શુમ્ભ-નીશુમ્ભની મોહ-માયામાં ફસીએ છીએ
બુદ્ધિથી જડ થઈ, ચંડ-મુંડની જેમ ઘૂમીએ છીએ
આ વિકારોને પોતાની જાત સમજીએ છીએ
એટલે તો ‘મા’ ના વારથી ડરીએ છીએ
અને હકીકતનો સામનો કરવાથી અચકાઈએ છીએ
આવા અસુરોને આપણે જ શરણું આપીએ છીએ
- ડો. હીરા