સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
પ્રેમના દાવા કર્યા તો પણ શું, વિશ્વાસમાં રહ્યા નહીં
જીવનમાં ઈચ્છાઓ પાછળ ભાગ્યા, તો પણ શું, ઈચ્છાઓ સમાપ્ત થઈ નહીં
ઈશ્વરને સમર્પણના વાદા કર્યા તો પણ શું, પીછેહઠ કરવામાં ચૂક્યા નહીં
મોહ-માયાથી ત્રાસ પામ્યા તો પણ શું, મોહ-માયા તો છૂટી નહીં
આકર્ષણ પ્રભુનું જાગ્યું તો પણ શું, પ્રભુ જેવા તો બન્યા નહીં
કર્મોના ફળ ભોગવ્યા તો પણ શું, એમાં તો કાંઈ શિખ્યા નહીં
હાર ને જીતના ખેલ-ખેલ્યા તો પણ શું, આશા-નિરાશાના બાંધ છૂટ્યા નહીં
દયા-ધર્મ જીવનમાં કર્યા તો પણ શું, પોતાની સલામતીનો વિચાર છૂટ્યો નહીં
આશિષ સંતોના મળ્યા તો પણ શું, પ્રભુના પ્રિય પાત્ર તો બન્યા નહીં
- ડો. હીરા