ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
એક પળમાં જીવન પલટાશે, કોઈને ખબર નથી
પણ એ એક પળને આવતા, વર્ષો લાગે છે
અને એ પળને સ્વીકારવા, જાગૃતિ જોઈએ છે
પળે-પળે, ક્ષણે-ક્ષણ, એક તૈયારી માગે છે
ત્યારે પળનું પરિવર્તન પણ એક સાચી દિશા આપે છે
જીવનમાં, એ અનુભુતિ આપે છે
અને હર પળના આનંદમાં જીવતા શિખવાડે છે
- ડો. હીરા