ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે
એટલે જ આ જન્મ-મરણના ખેલ ચાલતા આવ્યા છે
ઈચ્છાની સમાપ્તિ, એ જ મોટામાં મોટી મુક્તિ છે
બધા બંધનોની આઝાદીની એક અનોખી અનુભૂતિ છે
જીવનના સંઘર્ષની સમાપ્તિની એ ચાવી છે
ગુલામીથી છૂટકારો, મનને કાબૂમાં રાખવાની ચાવી છે
ઈચ્છાઓની સમાપ્તિ, ખાલી પ્રભુને અપર્ણ કરવાથી થાય છે
ઈચ્છાઓની સમાપ્તિ, ફળની આશા છોડવાથી થાય છે
ભવસાગર પાર કરવાની, આ તો મોટી ચાવી છે
ઈચ્છાઓની સમાપ્તિ, સુખદુઃખ, લોભ-લાલચની સમાપ્તિ છે
- ડો. હીરા