સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા
પ્રેમ એવા જળ્યા કે સ્નેહના ભાવ રાખ બન્યા
જીવન એવું વિત્યું કે ફરિયાદના ખેલ રહી ગયા
પ્રભુથી જે વંચિત રહ્યા, એ ખાલી દોષોના ભંડાર બન્યા
મનુષ્ય રૂપ ધારણ કરી, ખાલી જોતા રહી ગયા
અણી વખતે અફસોસના જ પ્યાલા પીધા
ઋણ ચૂકવવાના બદલે, ઋણ ભેગું કરતા રહ્યા
પ્રભુને યાદ કરવાને બદલે, ખાલી ભોગમાં રહ્યા
ખાલી જીવન-મરણના ખેલ રચ્યા, મનુષ્ય એવા ને એવા રહી ગયા
- ડો. હીરા