રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે
વિશ્વાસ તારો જે પણ કરશે, એને સમજાશે તું કોણ છે
જ્ઞાન તારું સમર્પણથી સમજશે, એને સમજાશે તું કોણ છે
અજ્ઞાનતાના જે દંભ છોડશે, એને સમજાશે તું કોણ છે
સાચા ભક્તો મળવા તો બહુ મુશ્કેલ છે
તારા ચરણમાં જે પણ આવશે, એને સમજાશે તું કોણ છે
- ડો. હીરા