ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે
ઉછળતું મન તો બહુ કૂદયા કરે
પ્રેમભર્યું મન બીજું કાંઈ ન જોવે
હેતભર્યું મન તો ખાલી પ્રેમ કરે
દઝાયેલું મન તો ખાલી કોસ્યા કરે
અજાગૃત મન તો ખાલી પાગલપણ કરે
અંતરમન તો ખાલી પ્રેરણા કરે
આ ખેલ તો આપણા મનના જ છે
જે મન પર કાબૂ કરે, એ જ તો ગુલામીથી મુક્ત છે
જે મનને વશમાં કરે, એ જ સાચા જશને કાબિલ છે
- ડો. હીરા