કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
જેની જેવી મસ્તી, તે તે પ્રમાણે કરે
કોઈ શ્રદ્ધા રાખે, તો કોઈ મહેફિલના ચાંદ બને
જેવી જેની આરઝુ, તે તો તેવું કરે
કોઈ ધ્યાનમાં ઉતરે, તો કોઈ પોતાનું ભાન ભૂલે
જેવા જેના ભાવો, તેવા તેના રૂપ નિરખે
કોઈ પ્રભુની ભક્તિ કરે, કોઈ પોતાને ગોતે
જેવો જેનો માર્ગ, તે તે પ્રમાણે ચાલે
કોઈ નવજીવનની ચેષ્ટા કરે, કોઈ સમર્પણ કરે
જે પણ જે કરે, તે સમ અવસ્થામાં રહીને કરે
તો એ સાધના ફળે અને સાધકને આગળ લઈ જાય
- ડો. હીરા