એક વાર પ્રભુ સાથે જીદ કરી કે સાથે લઈ જાવ
પ્રભુએ ત્યારે સમર્પણ શું છે એ સમજાવ્યું
એક વાર પ્રભુને કહ્યું કે પ્રેમમાં સતત રાખો
ત્યારે પ્રભુએ પ્રેમની તો બારાત દેખાડી
એક વાર પ્રભુ ને કહ્યું કે એકરૂપ કરો
ત્યારે પ્રભુએ કહ્યું કે આપણે ક્યારે જુદા ન હતા
એક વાર પ્રભુ પાસે સચ્ચિદાનંદ માગ્યું
ત્યારે પ્રભુએ કહ્યું કે માગવાથી એ નથી મળતું
એક વાર પ્રભુને કહ્યું કે મારા અંહકારને ખતમ કરો
ત્યારે પ્રભુએ કહ્યું કે તું તો મારો વારસદાર છે
આ કેવી ઉલઝણ છે, કે પ્રભુ પાસે કાંઈ જ મંગાતું નથી
વગર કહે, એ તો બધું જ આપે છે, બધું જ સોંપે છે
- ડો. હીરા