વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
અનુરૂપતામાં રહેવું અને અનમોલ બોલ પર વિચારવું, એ તો સાચો પ્રવાસી છે
ગુરુ આદેશનું પાલન કરવું, પોતાના અસ્તિત્વને ભૂલવું, એ તો સાચી રાહ છે
અંદાજ બધાનો રાખવો, ગુણ બધાના કેળવવા, એ તો સાચો વ્યવહાર છે
આનંદમાં સદૈવ રહેવું અને ઊંચનીચતાના બાંધ તોડવા, એ તો અમરતાની નિશાની છે
પ્રેમમાં સહુને રાખવા અને પ્રેમથી બધાને આવકારવા, એ તો જ્ઞાનીએ સમજવાનું છે
રસ્તા બધા ખુલા છોડવા અને રસ્તે આગળ વઘતા રહેવું, એ તો સેવકની સાધના છે
દીવાનગીને ત્યજવી અને શાંતિને સ્થાપવી, એ તો પરિપક્વતાની નિશાની છે
જીવન પ્રભુને સોંપવું અને કાર્ય એનું કરવું, એ જ તો આ જન્મ સિદ્ધ કરવાની કહાની છે
- ડો. હીરા
viśālatā hr̥dayamāṁ kēlavī anē vyavahāra sācō karavō, ē jīvananī maṁjila chē
anurūpatāmāṁ rahēvuṁ anē anamōla bōla para vicāravuṁ, ē tō sācō pravāsī chē
guru ādēśanuṁ pālana karavuṁ, pōtānā astitvanē bhūlavuṁ, ē tō sācī rāha chē
aṁdāja badhānō rākhavō, guṇa badhānā kēlavavā, ē tō sācō vyavahāra chē
ānaṁdamāṁ sadaiva rahēvuṁ anē ūṁcanīcatānā bāṁdha tōḍavā, ē tō amaratānī niśānī chē
prēmamāṁ sahunē rākhavā anē prēmathī badhānē āvakāravā, ē tō jñānīē samajavānuṁ chē
rastā badhā khulā chōḍavā anē rastē āgala vaghatā rahēvuṁ, ē tō sēvakanī sādhanā chē
dīvānagīnē tyajavī anē śāṁtinē sthāpavī, ē tō paripakvatānī niśānī chē
jīvana prabhunē sōṁpavuṁ anē kārya ēnuṁ karavuṁ, ē ja tō ā janma siddha karavānī kahānī chē
|
|